મોરબીમાં 13મીએ દિવ્યાંગ ઔદ્યોગિક ભરતી મેળો

- text


મોરબી : નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા તા.૧૩/૦૧/૨૦૨૦ ના રોજ દિવ્યાંગ ઓધોગિક ભરતી મેળાનું આયોજન માં મંગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા, જે.કે.પેઇન્ટસ, જી.આઈ.ડી.સી. શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર( ૬૦%સુધીની દિવ્યાંગતા ઓર્થોપેડિક માટે તથા બહેરા/ મૂંગા) ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી જોબનપુત્રાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text