માળીયા મિયાણાના ડબલ મર્ડર કેસમાં આરોપી તકસીરવાન, ફાંસીની સજા માટે 30મીએ દલીલ

- text


ખેતરના શેઢે ભેંસ ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલ કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા

મોરબી : માળીયા મિયાણાના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં વર્ષ 2022માં ખેતરના શેઢે ભેંસ ચરાવવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને મોતને ઘાટ ઉતારી બેવડી હત્યાને અંજામ આપતા આ ચકચારી બનાવમાં મોરબી કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે, બીજી તરફ આ કેસને રેરેર ઓફ ધ રેર ગણી આરોપીને ફાંસીની સજા ફટકારવા માટે માંગણી સાથે સરકારી વકીલ દ્વારા આગામી 30મી એપ્રિલના રોજ દલીલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2022ના નવેમ્બર માસમાં માળીયા મિયાણાના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં ઇશાભાઈ હબીબભાઇ મોવરના ખેતરમાં તેમનો જ કૌટુંબિક ભત્રીજો એવા આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવર શેઢા ઉપર ભેંસ ચરાવતો હોય ઇશાભાઈના પુત્ર હબીબે આરોપી શાહરૂખને ભેંસ નહીં ચરાવવા કહેતા આરોપીએ ઝઘડો કરી છરીના ઘા ઝીકી દેતા દેકારો થતા ઇશાભાઈના પત્ની ઝરીનાબેન પણ બનાવ સ્થળે દોડી જતા આરોપી શાહરૂખે ઝરીનાબેનને પણ છરી ઝીકી દેતા બન્નેના સારવારમાં મૃત્યુ નિપજ્યા હતા.

- text

બીજી તરફ આ અંગેનો કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી જતા 19 મૌખિક અને 46 દસ્તાવેજી પુરાવા સાથે સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને તકસીરવાન ઠેરવ્યો હતો. જો કે, બેવડી હત્યાના આ બનાવને રેરેર ઓફ ધ રેર ગણી આરોપીને ફાંસીની સજા ફટકારવા માટે માંગણી સાથે સરકારી વકીલ સંજયભાઈ સી.દવે દ્વારા આગામી 30મી એપ્રિલના રોજ દલીલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- text