મારે અજય લોરિયા સાથે કોઈ આડા સબંધ નથી, મારો પતિ ખોટા આક્ષેપ કરે છે : શ્રદ્ધા રાજપરા

- text


દંપતીના ડખ્ખામાં રાજકીય આગેવાન અજય લોરિયાના નામ અંગે પતિના વિડિયો બાદ પત્ની શ્રદ્ધા રાજપરાએ અજય લોરિયાની પત્ની સાથે એક વિડિયો બનાવી અજય લોરિયા સાથેના સબંધો અંગે ખુલાસો કર્યો

મોરબી : મોરબીમા રહેતા દંપતીના ઝઘડામાં રાજકીય આગેવાન અજય લોરીયા સહિત ત્રણ લોકોના નામો આવ્યાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. આ મામલે પરિણીતાના પતિએ એક વિડીયો જાહેર કરી સમગ્ર મામલે માત્રને માત્ર અજય લોરીયા જ જવાબદાર હોવાનું અને તેમની પત્નીએ અન્ય બે લોકોના નામ અજયના ઈશારે જ એફઆરઆઈમાં લખાવ્યા હોવાનું જાહેર કર્યા બાદ આજે પત્ની શ્રદ્ધા રાજપરાએ અજય લોરિયાની પત્નીની હાજરીમાં એક વિડિયો બનાવીને તેના પતિએ અજય લોરિયા પર કરેલા આક્ષેપો સદંતર ખોટા હોવાનું અને અજય લોરિયા સાથે તેના માત્ર પારિવારિક અને ધંધાકીય સબંધ જ હોવાનો અને કોઈ આડા સબંધ ન હોવાનો ખુલાસો કર્યો છે.

હાલ મોરબીમાં ચર્ચાસ્પદ બનેલા આ વિવાદની વિગત જોઈએ તો થોડા દિવસો પેહલા મોરબીની શ્રધ્ધા રાજપરા નામની પરણિતાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ નીરવ રાજપરાએ તેના પર રાજકીય આગેવાન અજય લોરિયા, મેહુલભાઈ અને હર્ષદ પટેલ સાથે આડા સબંધ હોવાની શંકા કરી માર માર્યો હતો. આ બનાવમાં પોલીસ ફરિયાદ બાદ ફરાર આરોપી નીરવ રાજપરાએ એક વિડીયો જાહેર કરી આ ઝઘડામાં તેની પત્ની શ્રધ્ધાએ અજય લોરીયાના ઈશારે જ મેહુલભાઈ અને હર્ષદભાઈનું નામ લખાવ્યું હોવાનું કહી અજય લોરિયાનો દોરીસંચાર હોવાના આક્ષેપ કર્યા હતા. આ વિડિઓ બાદ અજય લોરિયાની આગેવાનીમાં થતા પાટીદાર નવરાત્રી મહોત્સવમાં 12 સભ્યોએ એક પ્રેસનોટ જાહેર કરી અજય લોરિયા પર રાજકીય લાભ ખાટવા પાટીદાર નવરાત્રી મહોત્સવનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપો કરી તેની સાથે પાટીદાર નવરાત્રી મહોત્સવને હવે કોઈ લેવા દેવા ન હોવાનું જાહેર કર્યું હતું.

- text

અજય લોરિયાનું નામ દંપતીના ડખ્ખામાં ઉછળ્યા બાદ આ વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ત્યારે હવે અજય લોરિયા નામના વિવાદ અંગે અને તેના પર થઈ રહેલા આક્ષેપો અંગે ફરિયાદી પરણિતા શ્રદ્ધા રાજપરાએ આજે અજય લોરિયાની પત્નીની હાજરીમાં એક વિડિયો બનાવીને તેના પતિએ અજય લોરિયા પર કરેલા આક્ષેપો સદંતર ખોટા હોવાનું અને અજય લોરિયા સાથે તેના માત્ર પારિવારિક અને ધંધાકીય સબંધ જ હોવાનો અને કોઈ આડા સબંધ ન હોવાનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત પરણિતાએ સમાજને પણ આ બનાવમાં ખોટા લોકોનો સાથ ન આપવા અને એક દીકરી પર આવા જીવલેણ હુમલા બીજી વાર ન થાય તે અંગે વ્યથા ઠાલવી હતી. શ્રદ્ધા રાજપરાએ વીડિયોમાં જણાવ્યું હતું કે તે એક ડિઝાઇનર છે અને પતિ કઈ કમાતો ન હોવાથી પોતે બૂટિક ચલાવી રહી છે. અને અજય લોરિયાની પત્ની પાયલ તેની મિત્ર છે. જેથી મને ધંધામાં અજય લોરિયા અને તેની પત્ની સહકાર આપે છે. શ્રદ્ધાએ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર મુદ્દો અમુક લોકો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. મેં આજે આ વિડિઓ અજય લોરિયાની પત્નીની હાજરીમાં એટલે જ બનાવ્યો કે મારે અજય લોરિયા સાથે કોઈ જ આડા સબંધ નથી. માત્ર અમારી વચ્ચે પારિવારિક જ સબંધો છે. તેવો ખુલાસો કરી તેના પતિ નીરવ રાજપરાએ કરેલા હુમલા અને અજય લોરિયા પર કરેલા આક્ષેપો અંગે ખુલાસા પણ કર્યા હતા.

જ્યારે અજય લોરિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે મારી રાજકીય અને સામાજિક કારકિર્દી ખતમ કરવા અમુક લોકો દ્વારા આવા હિન પ્રયાસો કરી રહ્યા છે.

શ્રદ્ધા રાજપરાએ વીડિયોમાં શું કહ્યું..જુઓ..

 

- text