મોરબીના નીચી માંડલ ગામે આજથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

- text


મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા આજે તારીખ 27 એપ્રિલ થી 3 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

નીચી માંડલ ગામે કૌશિકભાઈ રમેશભાઈ સનીયારાના નિવાસ સ્થાને સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આજે 27 એપ્રિલ ને શનિવાર થી કથાનો પ્રારંભ થશે અને 3 મે ને શુક્રવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલશે. દરરોજ બપોરે 3 થી 6-30 સુધી વક્તા દિનેશબાપુ કેરાળીવાળા વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવશે.

- text