મોરબી તાલુકાના 16 ગામોમાં કાલે શનિવારે ક્ષત્રિય સમાજનો ધર્મ રથ ફરશે

- text


 

મોરબી : પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ -2 શરૂ કરી દીધો છે. જેના ભાગ રૂપે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરી રહ્યો છે. જેમાં આવતીકાલે શનિવારે ધર્મ રથ મોરબી તાલુકાના 16 ગામોમાં ફરવાનો છે.

- text

મધુપુરમાં મેલડી માતાજીના મંદિરે 8:30 વાગ્યે પ્રસ્થાન થશે. બાદમાં બહાદુર ગઢ 9 કલાકે, ખાખરેચી 9:45 કલાકે, વેજલપર 10:45 કલાકે, માણાબા 11:30 કલાકે, વાઘરવા 12 કલાકે, પીલુડી 12:45 કલાકે, ગૂંગણ 1:30 કલાકે, રવાપર નદી 2:45 કલાકે, તારાપર શક્તિનગર 3:30 કલાકે, જુના સાદુળકા 4:15 કલાકે, કેરાળા 5:15 કલાકે, સાપર 6:15 કલાકે, રંગપર 7 કલાકે, બેલા 7:45 કલાકે અને પીપળી 8:15 કલાકે પહોંચશે.

- text