મોરબીમાં સત્સંગી જીવન કથામાં રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી સન સીટી ગ્રાઉન્ડમાં સત્સંગી જીવન કથા અને ઘર સભામાં પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજીસ્વામી અને પૂજ્ય સદગુરુ પ્રેમપ્રકાશદાજીસ્વામીના આશીર્વાદથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ બ્લડ ડોનેશન કેમ્પમાં 64 રક્તદાતા ઓ એ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં કથાના યજમાન, સ્વયંસેવકો, જયંતીભાઈ પડસુંબિયા એ જહેમત ઉઠાવી હતી. બ્લડ કેમ્પનું આયોજન કરવા બદલ સંસ્કાર બ્લડ બેંકના પ્રેરક પૂજ્ય સદગુરુ પ્રેમસ્વામી અને સંસ્કાર બેંકના સંચાલક રમેશભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો અને આયોજકોનો આભાર માન્યો હતો.

- text