આજે કચ્છ-મોરબીના ભારે વાહનો ચોટીલાથી પસાર નહિ થઈ શકે

- text


વડાપ્રધાનની મુલાકાતને પગલે ભારે વાહનોને સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી પ્રવેશ બંધી અંગે મોરબી જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

- text

મોરબી:આજે શનિવારે વડાપ્રધાન મોદી ચોટીલાની મુલાકાતે હોવાથી કચ્છ-મોરબી તરફથી અમદાવાદ જતા ભારે વાહનો-કેમિકલ ટેન્કરોને પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું જિલ્લા કલેકટર મોરબી દ્વારા અમલી બનાવાયું છે.
વડાપ્રધાનની ચોટીલા મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થાના કારણોસર કચ્છ નેશનલ હાઇવે થી અમદાવાદ જતા ભારે વાહનો અને કેમિકલ ભરેલા ટેન્કરો ચોટીલા બાઉન્ડ્રીથી શનિવારે સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી પસાર નહીં થઈ શકે.
આ માટે જિલ્લા કલેકટર મોરબીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી એસટી બસ અને અન્ય નાના વાહનો સિવાય તમામ મોટા વાહનો અને કેમિકલ ભરેલા ટેન્કરો માટે માળીયા મિયાણા થી ધ્રાંગધ્રા થઈ વાયા વિરમગામ રૂટથી અમદાવાદ જવું પડશે.

- text