- text
જાણીતા નિષ્ણાતો આપશે સેવા : કેમ્પનો લાભ લેવા જાહેર અનુરોધ
મોરબી : હળવદના ચરાડવા ગામે આગામી તા. ૨૮ના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવનાર છે.
હળવદના ચરાડવા ગામે દરબાર ગઢ પાસે આવેલ કન્યા છાત્રાલય ખાતે આગામી તા. ૨૮ને સવારે ૧૦ થી ૧ દરમિયાન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોતિયા સ્પેશ્યાલિસ્ટ ડો. ચિંતન મહેશ્વરી, ચામડી, વાળ, નખ અને ગુપ્ત રોગોના નિષ્ણાંત ડો. બી.એસ. શેરસિયા, ડાયાબિટીસ, બીપી, શ્વાસના રોગના નિષ્ણાંત ડો. હિતેશ કંઝારીયા, હાડકાના રોગના નિષ્ણાંત ડો. ભાવિક શેરસિયા અમે માનસિક રોગ તેમજ વ્યસન મુક્તિના નિષ્ણાંત ડો. હિરેન મોર સેવા આપશે.
- text
આ કેમ્પ માટે નામ રજીસ્ટ્રેશન કરાવવા કે વધુ માહિતી માટે મો.નં. ૭૩૫૯૨ ૨૨૪૯૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પનો વધુને વધુ સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
- text