આવતીકાલે શનિવારે મોરબીના ગોપાલ અને વેજીટેબલ ફીડર હેઠળના વિસ્તારમાં વીજ કાપ

- text


મોરબી : આવતીકાલે તારીખ 27 એપ્રિલ ને શનિવારના રોજ મેન્ટનન્સની કામગીરીને લીધે પીજીવીસીએલ શહેર પેટા વિભાગ-2 હેઠળના ગોપાલ ફીડર અને વેજીટેબલ ફીડરના વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text

જેમાં ગોપાલ ફિડર હેઠળના રિલિફનગર, રોટરીનગર, અરુણોદયનગર, રામકૃષ્ણનગર, જનકલ્યાણ સોસાયટી, વર્ધમાનનગર, સરસ્વતી સોસાયટી, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજ સોસાયટી, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક, આશા પાર્ક તથા આસપાસના વિસ્તાર. જ્યારે વેજીટેબલ ફિડર હેઠળના ભીમસર (મફતિયાપરા), પંચમુખી હનુમાન મંદિર, સ્મશાન, વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસાયટી, જિલ્લા સહકારી દૂધની ડેરી, ઉમા ટાઉનશીપ તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

- text