27 એપ્રિલથી મોરબીના રામોજી ફાર્મ ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

- text


ગામી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

મોરબી : આવતીકાલે તારીખ 27 એપ્રિલ થી 3 મે સુધી ગામી પરિવાર દ્વારા મોરબીના રામોજી ફાર્મ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ગોરધનભાઈ મુળજીભાઈ ગામી, કરશનભાઈ મુળજીભાઈ ગામી, પ્રભુભાઈ મુળજીભાઈ ગામી અને સમસ્ત ગામી પરિવાર દ્વારા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ શ્રીમદ ભાગવત કથા 27 એપ્રિલે શરૂ થશે અને 3 મેના રોજ પૂર્ણ થશે. આ કથામાં મોરબીના વિદ્વાન અને જાણીતા કથાકાર આચાર્ય મહામહોપાદ્યાય જિજ્ઞેશભાઈ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ, કાશી, જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય) વ્યાસપીઠ પર બિરાજી દરરોજ રાત્રે 8-30 થી 12 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે.

- text

- text