22માં જન્મ દિવસે ટંકારાની યુવતિની અનોખી પ્રતિજ્ઞા: એક વર્ષમાં 22 પુસ્તકો વાંચીશ

- text


ટંકારા : આજે મોબાઈલમાં જ્યારે બધા રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે ટંકારાના બંગાવડી ગામે રહેતા મીરાલી વિનોદભાઈ ભોરણીયાએ પોતાના 22માં જન્મદિવસ પર આવનારા એક વર્ષમાં 22 પુસ્તકો વાંચવાની પ્રતિજ્ઞા લઇ જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

- text

મીરાબેન પોતે પણ કવિતાઓ, વાર્તા અને લેખ લખવાનો શોખ ધરાવે છે અને એમની કૃતિઓ અલગ અલગ સમાચાર પત્રકોમાં પ્રકાશિત થયેલી છે. તેમની અંગત નાની લાયબ્રેરી છે જેમાં 200થી વધુ પુસ્તકો છે અને 20માં જન્મદિવસ પર પણ પિતા પાસેથી 20 પુસ્તકોની ભેટ મળી હતી. આમ આ પુસ્તકો વાંચવાની પ્રતિજ્ઞા અને એમનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ વર્તમાન સમયના યુવાનો માટે પ્રેરણાદાયક બની રહે છે.

- text