વાંકાનેર : PSIના ભાઈના હત્યારા ઝડપાયા

- text



વાંકાનેર : કોઠારિયા ગામે PSIના ભાઈ દલિત યુવકની પારીવારીક મનદુખના કારણે કૌટુંબિક ભાઈઓ એ જ હત્યા ના બનાવમાં હત્યા કરનાર બંને આરોપીઓની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આજરોજ સામેથી હાજર થઇ જતા તાલુકા પોલીસે વિધિવત રીતે બંને ની ધરપકડ કરી હતી.હત્યા બાદ બંને આરોપીઓ અમદાવાદ નાશી ગયા હોવાનું અને ત્યાર બાદ સામેથી હાજર થયા હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણેક દિવસ અગાઉ વાંકાનેરના કોઠારિયા ગામે વસતા ચાવડા પરીવારોમાં નવા પ્લોટમાં રહેતા સતીશભાઈ પરષોત્તમ ભાઈ ચાવડાની પારીવારીક મનદુખના કરને તેના જ કુટુંબના દિલીપ ચાવડા અને મહેન્દ્ર ચાવડા નામક બે યુવકોએ લાકડી-ધોકા વડે ઢોર માર માર્યા બાદ નાશી છુટ્યા હતા, અને ઘાયલ સતીષનું વાંકાનેર સરકારી હોસ્પીટલમાં ખુબા જ ટુકી સર્વરના અંતે મોત નીપજ્યું હતું. સતીશનું મોત નીપજતા મારામારીનો બનાવ હત્યા માં પલટાયો હોય અને મૃતક ના કાકા ખેંગારભાઈ ની ફરિયાદ ના પગલે વાંકાનેર તાલુકા પોલીસ અધિકારી કે.બી.જાડેજા રાઈટર રવિભાઈ સહીત નો કાફલો હરકતમાં આવી ગયો હતો
બંને આરોપીઓ ને ઝડપવા તેઓના સગવાહલા તેમજ મિત્રોને ત્યાં છાપો મારવાનું ચાલુ કરી દીધું હતું. તાલુકા પોલીસે જુદાજુદા ગામોમાં શોધખોળ અને છુપી વોચ રાખવાનું ચાલુ રાખું હતું. તેવામાં આજરોજ બંને આરોપીઓ સામેથી તાલુકા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. હાલમાં આ બંને આરોપીઓ ને તાલુકા પોલીસે ધોરણસર રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text