Wankaner: નવા ધમલપરમાં 23 એપ્રિલે સંત વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે

- text


Wankaner: આવતીકાલે તારીખ 23 એપ્રિલને મંગળવારના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વાંકાનેરના નવા ધમલપર ખાતે સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

વેલનાથ બાપુની શોભાયાત્રા બપોરે 4 કલાકે નવા ધમલપરના ગેલ માતાજીના મંદિરેથી ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે પ્રસ્થાન થશે અને શોભાયાત્રા હસનપર, શક્તિપરા, મિલ સોસાયટી, મિલ પ્લોટ, વિસીપરા થઈને ધમલપર નં-2 વેલનાથ બાપુના મંદિરે પૂર્ણ થશે. આ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રામાં જોડાવવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text