વાંકાનેર તાલુકામાં વાહકજન્ય રોગચાળા અંગે કામગીરી કરાઈ

- text


વાંકાનેર : મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા સામે સઘન ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે આજ રોજ વાંકાનેર તાલુકાના પડધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તમામ ગામોમાં મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના વગેરે રોગો સામે સાવચેતીના પગલાં રૂપે જન જાગૃતિ માટે કામગીરી કરવામાં આવી હતી. પ્રચાર પ્રસાર અને પત્રિકા વિતરણ દ્વારા લોકોમાં વાહક જન્ય રોગચાળો ન ફેલાય તેના માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પડધરા PHC ના સુપરવાઈઝર આર. એલ ચાવડા તથા તાલુકા કક્ષાના સુપરવાઈઝર વી.એચ. માંથકિયા તથા MTS પ્રવીણભાઈ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવી હતી.

- text

- text