વાંકાનેરમાં તા.21મી મેએ સંતવાણી યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેરની સરધારકા રોડ પર ધમલપર ચોકડી પાસે રાજશક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આગામી તારીખ 21મી મે ને મંગળવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

રાજ શક્તિ ગ્રુપ અને ગુરુ ગોર ગૌરક્ષનાથજીની મઢી આદર્શ આશ્રમ સેવકગણ દ્વારા આગામી તા.21 મે ને મંગળવારે રાજશક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી, ભજનીક ધવલ બારોટ, પ્રકાશ ગોહિલ અને રસિક મહારાજ સાજીંદા ગ્રુપ સાથે ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં વાવડીના ગુરુગૌરક્ષ નાથજીની મઢી કર્મયોગી આશ્રમના યોગી જયરાજ નાથજી બાપુ, નકલંગ ધામ હડમતીયાના મહંત મેહુલદાસ બાપુ, શક્તિ માતાજી મંદિર ખેરવાના ભુવા પ્રવિણસિંહ ઝાલા, વઘાસીયા સ્થિત લીલાધરી હનુમાનજીની જગ્યાના સ્વામી અક્ષયાનંદજી (નિખિલદેવજી) હાજર રહેશે.

- text