મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અપાઈ

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ડાયાભાઈ નામના દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ આપવામાં આવી હતી. આ પ્રસંગે દાતા હસમુખભાઈ બી. પાડલીયા, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ટી.સી. ફુલતરીયા, પાસ્ટ પ્રમુખ લા. ભીખાભાઈ લોરિયા, લા. મહાદેવભાઈ ચિખલીયા, લા. પી.એ. કાલરીયા, સતેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના હસ્તે ફૂલહાર પહેરાવીને ટ્રાયસિકલ દિવ્યાંગ ડાયાભાઈને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાનું માર્ગદર્શન મળ્યું હતું. દિવ્યાંગ ડાયાભાઈ આ ટ્રાયસિકલથી હરીફરી શકશે તેમ સેક્રેટરી લા. ટી.સી. ફુલતરીયાએ જણાવ્યું હતું.

- text