શિક્ષકો દ્વારા જુના પાઠય પુસ્તક એકત્ર કરી જરૂરિયાતમંદોને પોહચાડવાનો સેવાયજ્ઞ

- text


અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્ટોલ નાખી વાલીઓ પાસેથી જૂના પુસ્તકો એકઠા કરાયા 

મોરબી : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ, મોરબીના શિક્ષકો દ્વારા એક અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો જેમાં ધોરણ 3 થી 12 જુના પુસ્તકો મોરબીમાં સ્વાગત ચોકડી રવાપર રોડ, સ્વામિનારાયણ મંદિર , અને મહારાણા પ્રતાપ સર્કલ આમ ત્રણ જગ્યા પર એકત્ર કરવામાં આવ્યા અને જરૂરિયાત મંદ લોકો આવતા ત્યાંજ અમુક પુસ્તકોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ વિદ્યા રૂપી દાનનુ આ સેવા કાર્ય કરાયું હતું અને તમામ શિક્ષકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

નોંધ : સ્વામિનારાયણ મંદિર , નવા બસ સ્ટેશન પાસે આ પુસ્તક એકત્રિકરણ અને જરૂરિયાતમંદને વિતરણ આજે રવિવારે બપોર પછી પણ શરૂ રહેશે

- text

- text