મોરબી નિવાસી ધરમકુમાર કૈલાનું અવસાન

- text


મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમકુમાર કાંતિલાલ કૈલા (ઉં. વ.24) તે કાંતિલાલ કેશવજીભાઈ કૈલાના પુત્ર, ખીમજીભાઈ કેશવજીભાઈ કૈલા, રમેશભાઈ કેશવજીભાઈ કૈલા, મનસુખભાઈ કેશવજીભાઈ કૈલા, બળદેવભાઈ કેશવજીભાઈ કૈલા, અશોકભાઈ કેશવજીભાઈ કૈલાના ભત્રીજા, પ્રાગજીભાઈ જેરામભાઈ ભાડજા, શારદાબેન પ્રાગજીભાઈ ભાડજાના દોહિત્ર, પ્રાણજીવનભાઈ પ્રાગજીભાઈ ભાડજા, નિરૂપાબેન પ્રાણજીવનભાઈ ભાડજાના ભાણજી, દિવ્યેશભાઈ પ્રાણજીવનભાઈ ભાડજાના ભાઈ, મોનિકાબેન દિવ્યેશભાઈ ભાડજાના દિયરનું તારીખ 15-1-2024 ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-1-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે શિવગંગા એપાર્ટમેન્ટ, ધુનડા રોડ, ફ્લોરા 11ની સામે, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાને મુ. વેજલપર, તા. માળીયા ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text