તા.22મીએ મોરબીના એસપી રોડ અયોધ્યાધામ ખાતે મહાઆરતી – શોભાયાત્રા યોજાશે

- text


મોરબી : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરી પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે મોરબીના એસપી રોડ પર આવેલા અયોધ્યાધામ ખાતે મહાઆરતી અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

અયોધ્યાધામ ખાતે આગામી તા. 22મીએ યોજાનાર આ કાર્યક્રમ અન્વયે સવારે 8 કલાકે એસપી રોડના નાકેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ બપોરે 12 કલાકે મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે 1 કલાકે સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ શુભ દિવસે દરેક ઘરે રંગોળી બનાવી આસોપાલવના તોરણ બાંધવા જણાવાયું છે. સાંજે પાંચ વાગ્યે દિવા પ્રગટાવી રાત્રે 9 કલાકે આતશબાજી કરીને ઉત્સવની ઉજવણી કરવામાં આવશે તેમ રામ મહોત્સવ આયોજક સમિતિ દ્વારા જણાવાયું છે.

- text