પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના પત્ની કાંતાબેનનું અવસાન, કાલે ગુરૂવારે સવારે અંતિમયાત્રા

- text


મોરબી : રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના ધર્મપત્ની કાંતાબેન ગોવિંદભાઇ પટેલનું આજે તા.1 નવેમ્બરના રોજ અવસાન થયું છે.

સ્વ. કાંતાબેન પટેલની અંતિમયાત્રા આવતીકાલે તા.2 નવેમ્બરે સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન અમૃત વિલા, જય પાર્ક, એસબીઆઈ બેંકની સામે, રાજનગર ચોક પાસે, રાજકોટ ખાતેથી નીકળશે. ઉલ્લેખનીય છે કે ગોવિંદભાઇ પટેલના ધર્મપત્નીના અવસાનને પગલે સાંજે મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ અને સગાઓ ઉમટી પડ્યા છે.

- text

- text