ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં લોહાણા સમાજની બેઠક યોજાશે 

- text


મોરબી : લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, આવતીકાલ તારીખ 30 એપ્રિલ મંગળવારના રોજ સાંજે 5 કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય, ઉમા ટાઉનશીપ ખાતે મોરબી લોહાણા સમાજના આગેવાનો તથા કચ્છ લોકસભા બેઠકનાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મીટીંગમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનો તથા દરેક લોકોને ઉપસ્થિત રહેવા લોહાણા મહાજન પ્રમુખ ગીરીશ ઘેલાણી, મંત્રી નરેન્દ્ર રાચ્છ, જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિત કક્કડ, ઉપપ્રમુખ ભાવીન ઘેલાણી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ખજાનચી હરીશ રાજા, ટ્રસ્ટી દીપક સોમૈયા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અધ્યક્ષ હસુભાઈ પુજારા, જલારામ મંદિર મહિલા મંડળ અધ્યક્ષ ભાવના સોમૈયા, લોહાણા વિદ્યોતેજક ફંડના અગ્રણી નૈમિષ પંડિત, તેજશભાઈ બારા સહીતનાઓ દ્વારા અનુરોધ કરાયો છે

- text

- text