ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

- text


હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીજ્ઞેશ બારોટ, પૂનમ ગોંડલિયા, જયમંત દવે, ઉદય ધાંધલ, જે.કે ટિંબા તેમજ રવિન્દ્ર સોલંકી સહિતના કલાકારો ડાયરામાં રંગત જમાવશે. સંત મહંતોની ઉપસ્થિતિમાં યોજાનાર આ પાટોત્સવમાં ભકતજનોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text