આમરણ નિવાસી રાજેશભાઈ પોપટનું અવસાન

- text


મોરબી : આમરણ-બેલા નિવાસી સ્વ.હરગોવિંદભાઈ લાલજીભાઈ પોપટના પુત્ર રાજેશભાઇ પોપટ (ઉ.વ.55) તે લીનાબેનના પતિ, રાજેશભાઈ, કરણભાઈ તથા ઈશિતાબેનના પિતા, ચંદુભાઈ, પ્રફુલભાઈ (મંત્રી), કુસુમબેન(હળવદ), નિર્મળાબેન(પડધરી), જયોતિબેન (જોડીયા)ના નાના ભાઈ તેમજ સ્વ.જમનાદાસ નરશીદાસ નથવાણીના જમાઈ તેમજ રાજકુમારના બનેવીનું તારીખ 28 એપ્રિલ 2024 રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનુ બેસણુ તેમજ સસુર પક્ષની સાદડી તારીખ 29 એપ્રિલ 2024 સોમવારે બપોરે 5 થી 6 કલાકે આમરણ મુકામે લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવ્યું છે.

- text

- text