મોરબીમાં દિવાળી નિમિત્તે રાહત દરે મિઠાઈ-ફરસાણનું વેચાણ

- text


મોરબી : દિવાળીનો પર્વ આવી રહ્યો હોય રાજકોટના વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન મોરબી દ્વારા રાહત દરે મિઠાઈ-ફરસાણ અને નમકીનનું વેચાણ કરવામાં આવશે.

મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સિતારામ ચોકની પટેલ રસવાળી શેરીમાં આવેલા પ્રિયાંશી બ્યૂટી પાર્લર ખાતેથી રાહત દરે મિઠાઈ-ફરસાણ અને નમકીનનું વેચાણ કરવામાં આવશે. જેમાં કાજુ કતરી (700 રૂ. કિલો), બંગાળી મિઠાઈ (340 રૂ. કિલો), બટર સ્કોચ બરફી, ગુલાબ પાક, થાબડી અને ટોપરા પાક 280 રૂ. કિલો, મિક્સ ચવાણુ, ખટ્ટા મીઠ્ઠા, પંચરત્ન તીખુ ભુસુ 140 રૂ. કિલો, ચણાચોર, કચોરી, આલુ સેવ અને ભાખરી વડી 140 રૂ. કિલો, ફાફડી, ચંપાકલી, મેથી વણેલા 140 રૂ. કિલો મળશે. આ માટે તારીખ 30 ઓક્ટોબર થી 7 ઓક્ટોબર સુધી બુકિંગ કરાવી શકાશે. ઓર્ડર લખાવવા માટે અસ્મિતાબેન ગોસ્વામી (મો.નં. 9316471335), પરેશભાઈ ત્રિવેદી (મો.નં. 9726501810), રવિભાઈ (મો.નં. 9909499303), જયેશભાઈ (મો.નં. 7990118538) પર સંપર્ક કરવો. તારીખ 10 ઓક્ટોબર ને બપોરે 3 કલાકે પ્રિયાંશી બ્યૂટી પાર્લરથી ઓર્ડરની ડિલેવરી લેવાની રહેશે.

- text

- text