વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17એ પાટોત્સવ ઉજવાશે

- text


યજ્ઞ, રાસ ગરબા, સંતવાણી, શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને મહાપ્રસાદ સહિતના આયોજનો

મોરબી : વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17મેને શુક્રવારના રોજ 19મો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં સવારે 8 કલાકે યજ્ઞ અને 11:30 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.

બાદમાં બપોરે 3 કલાકે દાંડિયા રાસ યોજાશે. સાંજે 7 કલાકે મહાપ્રસાદ યોજાશે. રાત્રે 10 કલાકે ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સાગરદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા અને અલ્પાબેન પટેલ રમઝટ બોલાવશે. વધુમાં અહીં ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સવારે 9 વાગ્યે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પણ યોજાશે.

આ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ થવાના છે. જેમાં પ્રવેશ મેળવવા માટે તા.17ના રોજ 9થી 12 વાગ્યા સુધી સ્થળ ઉપર જ ફોર્મ ભરી શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text