આમરણમાં ૨૦મીએ હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ ઉજવાશે

- text


મોરબી : આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ તા. ૨૦ મેને સોમવારે ઉત્સાહભેર ઉજવાશે. સંદલ શરીફના ટાઈમ ઈશાની નમાઝ બાદ, રાત્રે.૧૦/૩૦ વાગ્યે રાખેલ છે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં બન્ને મઝાર શરીફમાં ન્યાજ કરવામાં આવેલ છે. શરમુબારકમાં કવ્વાલીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તેમ હઝરત શહિદ દાવલશા પીર ગાદીનશિન બુખારી આરીફ બાપુ મજલામીયા (9913036096), બુખારી ઈકબાલ બાપુ ગુલામમયોદીન, (9909441255), બુખારી કાદર બાપુ મજલામીયા (9925396031), બુખારી કાદર બાપુ બસીર મીયા, (9879567286)બુખારી આશિફબાપુ ઈકબાલબાપુ (9712049746)ની યાદીમાં જણાવાયું છે.

- text