મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળનો 40મો પારિતોષિક વિતરણ સમારંભ બ્રાહ્મણની ભોજનશાળા મુકામે યોજાયો હતો. આ પારિતોષિક વિતરણ સમારોહમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પારિતોષિક વિતરણ કાર્યક્રમ દરમિયાન આસામ રાયફલમાં તબીબ તરીકે પોસ્ટીંગ મેળવનાર ડો.પ્રયાગ જયેશભાઇ દવેનું તેમજ તેમના પિતા જયેશભાઈ દવે સહિતના પરિવારજનોનું મહેમાનોએ સન્માન કર્યુ હતુ. કુલ 279 વિદ્યાર્થીઓની એન્ટ્રીમાંથી 119 વિદ્યાર્થીઓએ શિલ્ડ-પ્રમાણપત્રો અને પારિતોષિક મેળવ્યા હતા. યુકેજી તેમજ એલકેજીના 14 બાળકોને તેમજ અન્ય 150 બાળકોને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા.

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા આયોજિત પારિતોષિક વિતરણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વિજયભાઈ જાની (જિલ્લા સરકારી વકીલ), નિખિલભાઇ જોશી (મામલતદાર), વિપુલભાઈ શુક્લ (જ્ઞાતિ ગોર), ભુપતભાઈ પંડ્યા (પ્રમુખ, વિદ્યોતેજક મંડળ), નરેન્દ્રભાઈ મહેતા (મહામંત્રી, વિદ્યોતેજક મંડળ), મહેશભાઈ ભટ્ટ (પ્રમુખ, શ્રી ઔદિચ્ય જ્ઞાતિ ભોજનશાળા), જગદીશભાઈ રાવલ દવે પંચોલી વિદ્યાર્થી ભુવન, કાંતિભાઇ ઠાકર (ખજાનચી, વિદ્યોતેજક મંડળ), અતુલભાઈ જોશી (પ્રમુખ, પરશુરામ યુવા ગૃપ તેમજ બ્રહ્મ પત્રકારોમાં પત્રકાર એસોસિએશન પ્રમુખ), હિમાંશુભાઈ ભટ્ટ, સિનિયર પત્રકાર જીજ્ઞેશભાઈ ભટ્ટ તેમજ હરનીશભાઇ જોષી સહિતનાઓએ હાજરી આપીને જ્ઞાતિના બાળકોને બીરદાવ્યા હતા.

- text

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ-મંત્રીની રાહબરી હેઠળ જગદીશભાઈ ભટ્ટ, મનીષભાઈ યાજ્ઞિક, હિમાંશુભાઈ વ્યાસ, નીરજભાઈ ભટ્ટ, અનિલભાઈ વ્યાસ, ઋષિભાઈ મહેતા, ધ્યાનેશભાઈ રાવલ, દુષ્યાંતભાઈ જાની વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text