તા.26મીએ મોરબીના દરબારગઢ વિસ્તારમાં વીજકાપ

- text


મોરબી : આવતીકાલે તારીખ 26 ઓક્ટોબર ને ગુરુવારના રોજ દરબારગઢ ફિડર હેઠળના કેટલાક વિસ્તારોમાં સમારકામના કારણે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

- text

પીજીવીસીએલ મોરબી દ્વારા મરામતની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે તા.26 ઓક્ટોબરના રોજ દરબારગઢ ફિડર હેઠળ આવતા દફતરી શેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી, વેરાઈ શેરી, સોની બજાર, પારેખ શેરી, કંસારા શેરી, ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા, દેરાશરશેરી, ખત્રિવાડ 1 થી 7, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ તથા આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામની કામગીરી પૂર્ણ થયે ફરીથી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text