Morbi: 11 મેના રોજ વિદ્યાર્થીલક્ષી અને નાગરિકલક્ષી સેમિનારનું આયોજન

- text


મોરબી: મોરબી શહેરના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, જ્ઞાન પથ, મહાદેવ મંદિરની સામે આવતીકાલે તારીખ 11 મે ને શનિવારના રોજ બપોરે 3 વાગ્યે અર્પિત મહિલા ટ્રસ્ટ અને પારુલ મહિલા ગ્રુપના સંચાલક રંજનબેન ભાયાણી દ્વારા વિદ્યાર્થીલક્ષી (સ્કોલરશીપ) અને નાગરિકલક્ષી (રોજગાર લક્ષી) સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં ગુજરાત શિક્ષણ સમિતિની ટીમ દ્વારા લોકોને વિદ્યાર્થીલક્ષી અને નાગરિકલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વિશે માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં જોડાવવા માગતા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોએ પોતાના આધારકાર્ડ, ઈમેલ આઈડી (જો હોય તો) અને આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે.  વધુ માહિતી માટે રંજનબેન ભાયાણી- મો.નં. 70168 04303 અથવા ધરમ વૈષ્ણવ- મો.નં. 90335 51000નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text