મોરબીમાં વાવાઝોડાને પગલે ઘડિયાળના ઉદ્યોગો કાલે શુક્રવારે પણ બંધ રહેશે

- text


મોરબી : મોરબીમાં વાવાઝોડાની અસરને પગલે આવતીકાલે શુક્રવારે પણ જોરદાર પવન તથા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેને પગલે ક્લોક એસોસિએશન દ્વારા ઉદ્યોગો આવતીકાલે શુક્રવારે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્ટાફની સલામતીને સૌથી વધુ મહત્વની ગણીને તા. 16એ પણ તમામ ક્લોક ઇન્ડસ્ટ્રીઝને સંપૂર્ણ રજા રાખવાની અપીલ કરવામાં આવી છે.

 

- text