મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : આગામી દિવસોમાં મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો દ્વિતિય સરસ્વતી સન્માન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેરની હદમાં રહેતા દશનામ ગોસ્વામી સમાજના કેજીથી કોલેજ સુધીના વર્ષ 2022-23ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજવાનું નક્કી કરાયું છે. જેમાં 1 થી 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને બાકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપી સન્માનિત કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારોહમાં ભાગ લેવા માટે પાસ થયેલા વિદ્યાર્થીઓએ માર્કશીટ, આધારકાર્ડની ઝેરોક્ષ મોબાઈલ નંબર સાથે તારીખ 30 જૂન સુધીમાં મંડળના કારોબારી સભ્યો અથવા તેજશગીરી ગોસ્વામી (મો.નં. 98795 90146) શિવ ડીઝીટલ, ઘનશ્યામ ચેમ્બર, દરિયાલાલ ઇલેક્ટ્રોનિક પાસે, જુના મહાજન ચોક, મોરબી અથવા અલ્પેશભાઈ સુરેશભાઈ ગોસ્વામી (મો.નં. 99790 48700) ગોસ્વામી બુક સ્ટોલ, સરદારબાગ પેટ્રોલ પંપ સામે, શનાળા રોડ, મોરબી ખાતે પહોંચાડવા યાદીમાં જણાવાયું છે.

- text

- text