- text
મોરબી : રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે અને વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે નજીક પહોંચી રહ્યું છે. ત્યારે વાવાઝોડાથી બચવા માટે અને વાવાઝોડાથી કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે મોરબીની ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ વાવાઝોડાનું સંકટ ટળી જાય તે માટે ભગવાન સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી રામધૂન બોલાવી હતી.
- text
- text