મોરબી સબજેલમાં ટીબી – એચઆઈવી નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : આજ રોજ મોરબી સબજેલમાં જિલ્લા ક્ષય કેન્દ્ર – મોરબી અને સુભિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટીબી નિદાન અને એચઆઈવી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી સબજેલ ખાતે ચામડી રોગના નિષ્ણાંત ડૉ. યશરાજસિંહ ઝાલા તેમજ ડૉ. ધનસુખ અજાણા જીલ્લા ટી.બી. અધિકારી, મોરબી તેમજ સુભિક્ષા પ્રોજેક્ટના મીનાબેન પરમાર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જેલના બંદીવાનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા જેલ સ્ટાફનો સહયોગ મળ્યો હતો.

- text

- text