આખરી વિદાય ! સાસુ અને પત્નીને ટ્રેનમાં બેસાડી ઉતરી રહેલા ઘડિયાળ ઉત્પાદકનું કરૂણ મૃત્યુ 

- text


વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશને સાયન્ટિફિક ક્લોક વાળા નકુલભાઈનું ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મૃત્યુ 

મોરબી : કાળ ક્યારે અને ક્યાં આફત બનીને ત્રાટકે છે તે કોઈ કળી શકતું નથી… આજે સવારે પોતાના ધર્મપત્ની અને સાસુમાને ટ્રેનમાં બેસાડવા ગયેલા મોરબીના જાણીતા ઘડિયાળ ઉત્પાદક સાથે પણ કરૂણ ઘટના બની જેમાં પત્ની અને સાસુમાને એસી કોચમાં બેસાડી ટ્રેનમાંથી ઉતરવા જતા સમયે ટ્રેને સ્પીડ પકડી લેતા નીચે પટકાતા હેમરેજ થઇ જતા આશાસ્પદ ઉદ્યોગપતિનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ કરૂણ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં આવેલ સાયન્ટિફિક ક્લોકના માલિક નકુલભાઈ જયેશભાઈ મીસ્ત્રી ઉ. 35 આજે સવારે રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોતાના ધર્મપત્ની અને સાસુમાને વલસાડ જવું હોય વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે બેસાડવા માટે ગયા હતા. આ સમયે તેઓ ટ્રેનના એસી કોચમાં સમાન સહિતની વસ્તુઓ મુકવા જતા ટ્રેન અચાનક જ ચાલુ થઇ જતા તેઓ ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પ્રાથમિક તપાસ વાંકાનેર રેલ્વે પોલીસ એએસઆઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે. ઘટનાની જાણ મોરબી ઘડિયાળ ઉદ્યોગમાં થતા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

- text