શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

- text


મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ માર્કેટ રવાપર ચોકડી, અને મહારાણા પ્રતાપ સર્કલ, સામાં કાંઠે, મોરબી-2 ખાતે શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સ્ટોલ બનાવી સવારના 8.00 વાગ્યાથી બપોરનાના 12.00 વાગ્યા સુધી ત્રણેય સ્ટોલ પર ઉભા રહી, ધો 3 થી 12 ના જુના પુસ્તકો એકત્ર કર્યા હતા.

- text

જેના પગલે બપોર સુધીમાં ત્રણ સ્ટોલ પર 357 જેટલા જુદા જુદા ધોરણના સેટ દાન રૂપે પ્રાપ્ત થયા હતા. એ પૈકી 128 જેટલા સેટ સ્થળ પરથી જ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ જેવા કે સાફ સફાઈ કરતા સેવાકર્મીના સંતાનો, આર્થિક જરૂરિયાત વાળા બાળકોને અર્પણ કરાયા હતા. આ મુહિમને બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થતા સ્વામિનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસેનો અને રાણા પ્રતાપ સર્કલ-મોરબી-2ના બંને સ્ટોલ મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ કાર્યમાં પુસ્તક દાનપેટે આપનાર દાતાઓ અને સેવાયજ્ઞમાં સેવા આપનાર કર્મયોગીનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આભાર પ્રકટ કરવામાં આવેલ છે.

- text