બધિર ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો

- text


મોરબીઃ મોરબીના બધિર ચેરિટેબલ ટ્રસ્ટ-મોરબી દ્વારા ગત તારીખ 26 ફેબ્રુઆરી ને રવિવારના રોજ દિવ્યાંગોના વિકાસલક્ષી કાર્યો અંગે એક કાર્યક્રમ યોજાયો હતો.

ગઈકાલે તારીખ 26 ફેબ્રુઆરી ને રવિવારના રોજ નોબેલ કિડ્ઝ સ્કૂલ પાસે બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબીના 30 જેટલા દિવ્યાંગ-બધિર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જાગૃતિ અભિયાન, ચર્ચા-વિચારણા, વિકાસના વિવિધ કામો સહિત વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી બધિર ચેરિટેબલ ટ્રસ્ટ- મોરબીના મેનેજિંગ ટ્રસ્ટી કૈલાસસિંહ તોમર, ટ્રસ્ટી મનીષભાઈ કાનાબાર, ટ્રસ્ટી નિલેશભાઈ મકવાણાએ આપી હતી.

- text

- text