મોરબી કાલે બુધવારે રેલવે સ્ટેશન, નવા ડેલા રોડ સહિતના વિસ્તારોમાં વીજકાપ

- text


મોરબી: મોરબી શહેર પેટા વિભાગ- 2 હેઠળ આવતા ચિત્રકૂટ ફીડરમાં આવતીકાલે તારીખ 1 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 7:30 થી બપોરે 3:30 સુધી મેન્ટેનન્સના કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેના કારણે ચિત્રકૂટ ફીડર હેઠળના રેલવે સ્ટેશન, નવા ડેલા રોડ સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

મોરબીમાં આવતીકાલે તારીખ 1 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 7:30 થી બપોરે 3:30 સુધી મેન્ટેનન્સના કારણેઆવતીકાલે જૂની, નવી રેલવે કોલોની, સ્ટેશન રોડ, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્ર પરા, તખ્તસિંહજી રોડ, નવા ડેલા રોડ, મંગલ ભુવન, રોહીદાસ પરા, આંબેડકર કોલોની, ચાર ગોડાઉન ખડિયાપરા, મેરિટાઈમ બોર્ડ તથા આસપાસનાં વિસ્તારોમાં વીજ કાપ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતા વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેમ નાયબ ઈજનેર દ્વારા જણાવાયું છે.

- text

- text