ઝૂલતા પુલ દુર્ઘટના : મચ્છુ નદીમાંથી અંદાજે 50 મૃતદેહો બહાર કઢાયા

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ અંદાજે 50 જેટલા મૃતદેહો મચ્છુ નદીની બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ હાલ બચાવ કાર્ય પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.

- text

મોરબીમાં આજે સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે. આ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં અંદાજે 50 જેટલા લોકોના મૃતદેહ મચ્છુ નદીની બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ બચાવ કાર્ય ચાલુ જ છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકત્ર થવા લાગ્યા છે.

- text