ઝૂલતા પુલ દુર્ઘટના : રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ.4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાય જાહેર

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.

મોરબીમાં આજે સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે. આ ઘટનામાં જે લોકોનું મૃત્યુ થયું છે તેઓના પરિવારોને પીએમ ફંડમાંથી રૂ. 2 લાખ તેમજ જે લોકોને ઇજા થઇ છે તેઓને રૂ. 50 હજારની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત હવે રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

- text

- text