- text
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાલ બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જે મંત્રી મોરબી નજીક હોય તેઓ તમામને મોરબી પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મોરબીમાં સાંજે ઝૂલતો પુલ તૂટતા જે દુર્ઘટના સર્જાઈ છે. તેને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. આ મામલે મળતી વિગતો અનુસાર રાજ્ય સરકારે મોરબી નજીક હાલ જે મંત્રીઓ હોય તેઓ તમામને મોરબી પહોંચવા માટે આદેશ જારી કર્યો છે.
- text
- text