હળવદના કંસારીયા હનુમાનજીના મહંત સંતપુરી બાપુ બ્રહ્મલીન થયા

- text


 

ભક્તજનોમાં ઘેરો શોક : આવતીકાલે સમાધિ અપાશે

હળવદ : હળવદ-માળિયા હાઇવે પર આવેલ કંસારીયા હનુમાનજી મંદિરના મહંતશ્રી આજે અચાનક હૃદય રોગના હુમલાના કારણે બ્રહ્મલીન થતા ભક્તજનોમાં ઘેરા શોખની લાગણી છવાઈ ગઈ છે અને ગુજરાતભરમાંથી સેવકો કંસારીયા હનુમાનજી મંદિરે મહંતશ્રીના દર્શન કરવા ઉમટી રહ્યા છે.

હળવદ-માળિયા રોડ પર આવેલ શ્રી કંસારીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી સંતપુરી બાપુ (ભુરીયા બાપુ)ગુરુ શ્રી મહંત આનંદપુરી બાપુ આજે બપોરે એકાએક હૃદય રોગના હુમલાથી બ્રહ્મલીન થતા ભક્તજનોમાં ઘેરો શોક છવાયો છે. સાથે જ મહંતશ્રીના અંતિમ દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી તેઓના સેવકો હાલ કંસારીયા હનુમાનજી મંદિરે ઉમટી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહંત સંતપુરી બાપુ ઉર્ફે ભુરીયા બાપુ સમગ્ર પંથકમાં સારી નામના ધરાવતા હતા. તેઓ દરેક સેવકોને પરિવારના સભ્યની જેમ દિશા સુચન આપવાની સાથે ધાર્મિક માર્ગદર્શન આપતા હતા.તેઓની વિદાયથી સમગ્ર પંથકને ખોટ પડી છે. સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે.

- text

આવતીકાલે મહંત સંતપુરી બાપુ ઉર્ફે ભુરીયા બાપુને તારીખ 17/7 /2022 ને રવિવારે સમાધિ આપવામાં આવશે. આ પૂર્વે તેઓના પાર્થિવ દેહના દર્શન રાખવામાં આવ્યા છે.

- text