રવિવારે મોરબીમાં ઓર્ગેનિક તરબૂચ અને ફૂલછોડનું રાહતદરે વિતરણ 

- text


મોરબી : નવરંગ નેચર કલબ દ્વારા આગામી તા.10 એપ્રિલને રવિવારના રોજ સવારે 8:00 થી બપોરે 1વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે ઓર્ગેનિક તરબૂચ, ફુલછોડ ઉપરાંત અન્ય ચીજવસ્તુનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

- text

ટંકારા તાલુકાના હરીપર ગામના ખેડૂત ચંદુભાઈ ભાગ્યાએ ઓર્ગેનિક તરબૂચ વાવેલ હોય જેનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત અળસિયાનું ખાતર, કોકોપીટનું ખાતર, પ્યોર મધ, હાથે ખાંડેલ દેશી ઓસડીયા, માટીના કૂંડા, તાવડી, વિવિધ જાતના કઠોળ, શાકભાજીના બિયારણો, રસોડામાં ઉપયોગી ચીજવસ્તુઓ વગેરેનું રાહત દરે વેચાણ કરવામાં આવશે જેનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

- text