મોરબી રાજઘરનાના ગાયક નઝીરભાઈ મહંમદભાઈ વાલેરાનું અવસાન

- text


મોરબી : મોરબી રાજઘરાનાના ગાયક મહંમદભાઈ વાલેરાના પુત્ર અને સુરસાગર સંગીત કલાસીસના સંચાલક તેમજ નાલંદા વિદ્યાલય મોરબીના સંગીતગુરૂ નઝીરભાઈ વાલેરા (ઉ.વ.77)નું તા.20ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 22/02/2022 ને મંગળવારના રોજ સમય સાંજે 4 થી 6 તેમનાં નિવાસ સ્થાને “વાલેરા પાર્ક”, વજેપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો.97127 37455, 98799 30566)

- text

ઉલ્લેખનીય છે કે મોરબીના સંગીતગુરૂ નઝીરભાઈની સંગીતની સાધના, અવિરત સેવાથી જ્ઞાન મેળવનારા અનેકાનેક સંગીતપ્રેમી અને શિષ્યો માટે આ દુઃખદ સમાચાર બની રહ્યા છે. તેમજ સ્વ. નઝીરભાઈ વાલેરાના માર્ગદર્શનથી તેમના શિષ્યોએ સંગીત ક્ષેત્રે મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text