થંજાવુરમાં સગીરાના ધર્મપરિવર્તન મામલે મોરબીમાં આજે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન

- text


મોરબી : તામિલનાડુના થંજાવુરમાં રહી અભ્યાસ કરતી વિધાર્થીનીને ધર્મપરિવર્તન કરવા દબાણ આપવામાં આવતું હતું.જેથી ABVPના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ રાષ્ટ્રીયમંત્રી શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરતા હતા.એ દરમ્યાન તેઓની ધરપકડ કરવામાં આવી હતી.જેના વિરોધમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

- text

તામિલનાડુના થંજાવુરમાં મિશનરી સ્કુલમાં અભ્યાસરત વિધાર્થીની લાવણયાને ધર્મપરિવર્તન કરવા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.જેને પગલે વિધાર્થીનીએ આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી લીધું હતું.આ ઘટનાના વિરોધમાં અભાવિપ રાષ્ટ્રીય મહામંત્રી નિધિબેન ત્રિપાઠી તેમજ રાષ્ટ્રીય મંત્રી મુત્થુ રામલિંગમ્ સહિતના કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરતા હતા.એ દરમ્યાન તેઓની અને અન્ય કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.જેના વિરોધમાં ગુજરાતભરમાં વિવિધ સ્થાનો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિરોધ પ્રદર્શન આજે સાંજે 6:15 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતીમા સામે નવા બસ સ્ટેન્ડ,મોરબી ખાતે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text