મોરબીમાં કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા શુક્રવારે ફ્રી નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકની પાંચમી વર્ષગાંઠ નિમિતે ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ રોગોનું નિદાન કરવામાં આવશે.બાળકોમાં જોવા મળતા વિવિધ રોગો માટે થેરાપી પણ કરવામાં આવશે.

મોરબીમાં પાંચમી વર્ષમાંઠ નિમિતે કેશર ફિઝિયોથેરાપી કલીનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ આગામી તા.૧૮ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી અને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી બીજો માળ,શીવ કોમ્પ્લેક્ષ,સંતોષ સીલેકશનની બાજુમાં, સર્કિટ હાઉસ મેઇન રોડ,મોરબી-ર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં ડો.મીતલ રૈયાણી દ્વારા સારવાર અને નિદાન કરવામાં આવશે.

- text

આ કેમ્પમાં કમર, ગરદન,ઢીંચણ,ખભા,એડી વગેરેના દુઃખાવાની સારવાર,સાયટીકા તથા સાંધાના વા માટેની સારવાર,ડોક તથા કમરના મણકા તથા ગાદીના ઘસારાને કારણે થતી નસની તકલીફ માટેની સારવાર,ફ્રેકચર પછી જકડાઇ ગયેલા સાંધા માટેની સારવાર,મંદબુદ્ધિના બાળકો માટે ખાસ સારવાર હાથ-પગ તથા મોઢાનાં લકવા માટેની સારવાર કરવામાં આવશે.આ ઉપરાંત બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે સી.પી. બાળક,ઓટીઝમ,હાઇપર એકટીવ,ડાઉન સીડ્રોમ,બોલવામાં તથા સમજવામાં તકલીફ,બીહેવીયર પ્રોબ્લેમ,ભાગવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝીયોથેરાપી,યુપેશનલ થેરાપી,બિહેવીયર થેરાપી,સ્પીચ થેરાપી,સેન્સરી ઇન્ટીગ્રેશન, કોગ્નીટીવ થેરાપી વગેરે કરવામાં આવશે.વધુ માહિતી માટે મો.૯૭૨૭૮ ૪૧૧૦૭ પર સંપર્ક કરી શકાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text