હડમતીયા ગુરુદ્વારા ખાતે પ્રજાપતિ પરિવાર દ્વારા ધ્વજારોહણ

- text


ધજા ચડાવી પોથીયાત્રા પણ કાઢવામાં આવી

મોરબી : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલા પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ગુરુદ્વારા ખાતે થાનના પ્રજાપતિ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રજાપતિ પરિવાર દ્વારા ધજા ચડાવી પોથીયાત્રા પણ કાઢવામાં આવી હતી.

થાનમાં રહેતા પ્રજાપતિ પરિવાર વૃજલાલ ચકુંભાઈ ઘરોડીયાના પરિવારજનો દ્વારા ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલા પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ગુરુદ્વારા ખાતે પૂનમ નિમિતે ધજા ચડાવવામાં આવી હતી અને આ પરિવારજનો દ્વારા ધજા ચડાવી પૂજા અર્ચના કરીને સગા-સ્નેહીઓ સાથે વાજતે ગાજતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text