બુધવારે મોરબી, રંગપર, નીચી માંડલ અને લખધીરપુરમાં પાવર કાપ

- text


સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વીજપુરવઠો નહિ મળે

મોરબી : પીજીવીસીએલ દ્વારા મોરબીના રંગપર, નીચી માંડલ અને લખધીરપુરમાં તેમજ શહેરના કાલિકા નગર સહિતના વિસ્તારમાં અગત્યની મરામત કામગીરીને કારણે આગામી તા.10ને બુધવારના રોજ સવારના 8થી બપોરના 4 દરમિયાન વિજકાપ જાહેર કરવામાં આવ્યો છે.

- text

મોરબી વિજતંત્ર દ્વારા અલગ – અલગ સબ સ્ટેશનોમાં લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી વીજ પુરવઠો નહીં મળી શકે કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.મેઇન્ટેન્સ કામગીરી અન્વયે તા.10ના રોજ ૬૬કેવી રંગપર -૨,
૬૬કેવી કાલીકાનગર, નીચી માંડલ, ૬૬કેવી લખધીરપુર માંથી નીકળતા તમામ ૧૧કેવી ફિડર બુધવાર સવારે ૮.૦૦ થી ૪.૦૦ બંધ રહેશે આ ઉપરાંત ૬૬કેવી મોરબી-એ ફીડર ૧૭.૦૩.૨૦૨૧ બુધવાર સવારે ૮.૦૦ થી બપોરે ૪ બંધ રહેશે.

- text