સત્ય સાંઇ વિદ્યા મંદિરમાં વાર્ષિક સમારંભ યોજાયો

- text


માળીયા (મી.) : પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ સત્ય સાંઇ વિદ્યા મંદિર ખાતે વાર્ષિક સમારંભ યોજાયો હતો. જેમા મેરે સપનો કા ભારત નામ અંતર્ગત નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમા ગ્રામીણ ભારતની પ્રતિભા, ભાવના અને ઉર્જાને બહાર લાવી સ્કૂલના વિધાર્થીઓએ સાંસ્કૃતિક નાટકો અને કલાઓ રજુ કરી હતી. આ તકે અમદાવાદના કલ્પેશ ઝવેરી, ઓડિશા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કમલ ત્રિવેદી, એડવોકેટ જનરલ, ગુજરાત હાઈકોર્ટ રોહિત ચોક્સી, ચોક્સી એન્ડ કો.ના કે. બી. ઝવેરી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્કૂલના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયેલ રંગબેરંગી નૃત્યો સહિતની રજૂઆતો હાજર રહેલ લોકોને આકર્ષિત કર્યા હતા.

- text