માળીયા : સુરજબારીના પુલ પાસે ખાનગી બસ પલ્ટી જતા 20થી વધુ મુસાફરોને ઇજા

- text


કચ્છ તરફથી આવતી ખાનગી બસ અચાનક પલ્ટી જતા આ અકસ્માત સર્જાયો : તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

માળીયા : માળીયા મિયાણા નજીક સુરજબારીના પુલ પાસે આજે કચ્છ તરફથી આવી રહેલી પેસેન્જરો ભરેલી એક ખાનગી બસ અચાનક પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ખાનગી બસમાં બેઠેલા 20થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી.આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે કચ્છ તરફથી મુસાફરો ભરેલી એક ખાનગી બસ માળીયા તરફ આવી રહી હતી અને આ ખાનગી બસ માળીયા મિયાણા નજીક સુરજબારીના પુલ પાસે પહોંચી ત્યારે બસ ચાલકે કોઈ કારણોસર સ્ટ્રીયરીગ પરથી કાબુ ગુમાવતા આ મુસાફરો ભરેલી ખાનગી બસ ઓચિંતા સુરજબારીના પુલ પાસે પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 20થી વધુ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં માળીયા 108 એમ્બ્યુલન્સ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે ઇજાગ્રસ્ત લોકો વધુ હોવાથી જેતપર અને મોરબીની તથા નેશનલ હાઇવે પરની 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી અને આ 108 મારફત તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text

- text