મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્ર ઘાયલ પક્ષીઓને સારવાર આપવા કલેકશન કેમ્પ યોજશે

- text


મોરબી: મોરબી યુનાઈટેડ યુથ જીવદયા કેન્દ્ર દ્વારા સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દર વર્ષની જેમ આ વર્ષ પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે માંજાથી ઘવાયેલા પક્ષીઓને બચાવા અને સારવાર પુરી પડી રહે તે માટે મોરબીમાં અલગ-અલગ 5 જગ્યાએ પક્ષી કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં મોરબીના ગેંડા સર્કલ, સુપર માર્કેટ, શનાળા રોડ, રવાપર ચોકડી, ઈન્ડ્સ બેન્કની સામે-રવાપર રોડ, નહેરૂ ગેટ ચોક ખાતે ઘાયલ પક્ષીઓને આપવા માટે પક્ષી કલેક્શન કેમ્પ રાખવામાં આવશે. આ ઉપરાંત જે કોઈ જગ્યાએ પક્ષી ઘાયલ થાય તો એ જગ્યાએથી વિનામુલ્યે પક્ષીને લય જવા માટે કર્તવ્ય એનીમલ હેલ્પલાઈ મો. 7574868886 અને મો.7574885747 પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text